!! તું સાંભળે છે મને !!
મનના વિચારોને વ્યક્ત કરવા છે, પણ કોણ સાંભળે છે મને?
વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું, કોઈના સાથ અને સંગાથની જરૂર છે.
જીવનની ઘણી બધી મૂંઝવણોમાં, કોઈના માર્ગદર્શનની આતુરતા છે.
વિચારોથી ભરેલા આ મનને, કોઈના હૂંફાળા સ્પર્શની રાહ છે.
પણ મનમાં એક વિશ્વાસ છે કે, પ્રભુ, તું સાંભળે છે મને.